Site icon Revoi.in

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ કહ્યું, ભારત સાથે સદીઓ જુની મિત્રતા છે, PM મોદીને પાઠવી શુભેચ્છા

Social Share

નવી દિલ્હીઃ ભારતના પાડોશી ગણાતા દેશ માલદીવ સાથેના સંબંધમાં ખટરાગ આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. અને મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું હતું. કારણ કે માલદીવ પ્રવાસન ક્ષેત્રે જાણીતુ છે. અને પ્રવાસન ટુરિઝમમાં ભારતીય પ્રવાસીઓનો મોટો હિસ્સો છે. આમ તો છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચે વિવાદો ચાલી રહ્યા હતા.જેમાં વધારો થયો હતો. ચીનના ખોળે બેસી ગયેલા માલદીવના શાસકોને ભારતે મચક આપી નહતી. ત્યારે આ તણાવ વચ્ચે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુએ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે.

માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને માલદીવ અને ભારતની મિત્રતા સદીઓ જૂની છે. બંને દેશ વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ માલદીવના પ્રમુખ  મોહમ્મદ મોઈજ્જૂની સરકાર બન્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચે ગાઢ સંબંધો હતા. ત્યાં ચીન સમર્થિત સરકાર સત્તા પર આવતા જ ભારત સાથેના સંબંધો બગડ્યા હતા. અને માલદીવના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી આગમાં ઘી નાંખવાનું કામ કર્યું હતુ. હાલ માલદીવ અર્થતંત્રની સ્થિતિ ‘કાલા પાણીની સજા’ જેવી છે. હાલની મોઈજ્જૂ સરકાર બે બાજુથી ફસાઈ છે. જો તે ભારત સાથે સંબંધ બગાડે તો ભૂખે મરવા જેવી સ્થિતિ સર્જાય અને ચીન સાથે બગાડે તો કંગાળ થઈ જાય. ભારતે પણ આકરૂ વલણ દાખવ્યું હતુ. અને ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં તેમજ માલદીવના વિપક્ષોએ પણ પ્રમુખ સામે ભારત સાથેના સંબંધોને લઈને પ્રહારો કરતા માલદીવના પ્રમુખે હવે દોસ્તીનો રાગ આલોપ્યો છે.