Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે ‘મન કી બાત’, 104મો એપિસોડ સવારે 11 વાગ્યે પ્રસારિત થશે

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરશે. ‘મન કી બાત’ 27 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો 104મો એપિસોડ છે. પીએમ મોદીએ એક્સ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પ્રેરણાદાયી જીવન સફરને પ્રકાશિત કરવામાં હંમેશા આનંદ થાય છે, એમ તેમણે ઉમેર્યું.

30 એપ્રિલ 2023ના રોજ પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થયા. ઐતિહાસિક ક્ષણની યાદમાં સમગ્ર દેશમાં તેનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ‘મન કી બાત’નો 100મો એપિસોડ પણ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દિલ્હીમાં 6530 સ્થળોએ લાઈવ સાંભળવામાં આવ્યો હતો. દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું.

‘મન કી બાત’ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ સિવાય ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી સહિત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ સ્ટેશનો પરથી પ્રસારિત થાય છે.

અહીં તમે ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળી શકો છો

ઓલ ઈન્ડિયા રેડિયો
દૂરદર્શન
નરેન્દ્ર મોદી મોબાઈલ એપ

Exit mobile version