Site icon Revoi.in

કોઈપણ ઉંમરે ધૂમ્રપાન છોડો તો પણ ઝડપથી ફાયદો દેખાવા લાગશે, સંશોધકોના અભ્યાસમાં ખુલાસો

Social Share

ધૂમ્રપાન કોઈપણ ઉંમરે છોડી શકાય છે. તેના ફાયદા દરેક ઉંમરે જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સાથે સંકળાયેલા સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, જે લોકો ધૂમ્રપાન છોડી દે છે તેઓને માત્ર થોડા વર્ષો પછી આયુષ્યમાં મોટો ફાયદો થાય છે. જર્નલ NEJM એવિડન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે લોકોએ 40 વર્ષની ઉંમર પહેલા ધૂમ્રપાન છોડી દીધું છે તેઓ લગભગ તેટલા જ બચી શકે છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી. તેવી જ રીતે, જે લોકો કોઈપણ ઉંમરે ધૂમ્રપાન છોડી દે છે, આગામી 10 વર્ષ પછી તેમનું આયુષ્ય લગભગ તે લોકો જેટલું થઈ જાય છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી. તેના લગભગ અડધા ફાયદા ધૂમ્રપાન છોડ્યાના ત્રણ વર્ષ પછી જ દેખાય છે.

સિગારેટ છોડ્યાના એક દિવસ પછી જ હાર્ટ એટેકનો ખતરો ઓછો થવા લાગે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ થવા લાગે છે. ધીમે ધીમે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે. ધૂમ્રપાન છોડ્યાના 12 કલાકની અંદર લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય થઈ જાય છે. ધ્રુમપાન છોડ્યા પછી બે અઠવાડિયાથી ત્રણ મહિનાની અંદર, લોહીનો પ્રવાહ સુધરે છે અને ફેફસાના કાર્યમાં વધારો થાય છે.

ધૂમ્રપાન છોડ્યાના 1 થી 9 મહિનામાં ઉધરસ અને શ્વાસની તકલીફ ઓછી થાય છે. કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ એક વર્ષમાં ઘટી જાય છે. મોં, ગળા, અન્નનળી અને મૂત્રાશયના કેન્સરનું જોખમ પાંચ વર્ષમાં અડધું થઈ જાય છે. સ્ટ્રોકનું જોખમ બેથી પાંચ વર્ષ પછી ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિની સરખામણીમાં ઘટી શકે છે.

આ અભ્યાસ અમેરિકા, બ્રિટન, કેનેડા અને નોર્વેના 15 લાખ પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યો છે. 15 વર્ષ સુધી તેમની દેખરેખ રાખવામાં આવી હતી. 40 થી 79 વર્ષની વયના ધૂમ્રપાન કરનારાઓમાં ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓની તુલનામાં મૃત્યુનું જોખમ લગભગ ત્રણ ગણું હતું. આ કારણે તેઓ તેમના સંભવિત કુલ જીવનકાળના સરેરાશ 12 થી 13 વર્ષ ગુમાવે છે.

Exit mobile version