Site icon Revoi.in

GTUમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે આજે રક્ષાબંધન પર્વ ઊજવાશે, ભારતીય સંકૃતિથી અવગત કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યની ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં દર વર્ષે ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ અર્થે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. જીટીયુ દ્વારા તેમની સંસ્કૃતિ અને તેમના રાષ્ટ્રીય પર્વોની સમયાંતરે ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે વિદેશી વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થાય એ હેતુથી જીટીયુના કર્મચારીઓ દ્વારા 30 દેશના 35 સ્ટુડન્ટસ સાથે રક્ષાબંધનનું પર્વ ઊજવશે.

જીટીયુના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશનના હેડ ડો. કેયુર દરજીએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જેમાંથી 35 વિદ્યાર્થીઓ કુલપતિ સહિત અન્ય સ્ટાફના ઘરે જઈને રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઊજવણી કરશે. નામ્બિયા, મોઝામ્બિક , અફઘાનિસ્તાન, સોમાલિયા, સાઉથ સૂદાન જેવા 30 દેશના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી આ પર્વમાં જોડાશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશનના મહિલા સ્ટાફ દ્વારા જીટીયુ હોસ્ટેલ ખાતે રહેતાં વિદેશી ભાઈઓને પણ રાખડી બાંધીને પવિત્ર પર્વની ઊજવણી કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત બન્યા છે.

જીટીયુના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સૌથી વધુ ટેક્નિકલ કોર્સમાં અભ્યાસ અર્થે વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં પ્રવેશ મેળવે છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાથી વિદેશી વિદ્યાર્થીઓ અવગત થાય તે અર્થે, જીટીયુ દ્વારા આ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જીટીયુ સંચાલિત ગ્રજ્યુએટ સ્કુલ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારતના સૈનિકોને રાખડી અને શુભેચ્છા સંદેશનો પત્ર મોકલી રક્ષાબંધન ઉત્સવ ઊજવ્યો હતો. આ સિવાય કર્મચારીગણ દ્વારા દતક લેવામાં આવેલા વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બન્યા હતા. વિદેશના વિદ્યાર્થીઓ ભારતીય પરંપરા અને તહેવારોથી પ્રભાવિત થયા છે.