Site icon Revoi.in

કોરોનાથી રક્ષણ આપતી એન્ટિબોડી પર થયેલા રીસર્ચમાં થયો મોટો ખુલાસો

Social Share

કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સતર્કતા તો જરૂરી છે જ. પણ સાથે સાથે શરીરમાં રહેલી એન્ટિબોડી પણ એટલી મહત્વની છે. કોરોના સામે રક્ષણ આપતી એન્ટિબોડી પર પણ અનેક પ્રકારના રિસર્ચ અને અભ્યાસ થયા છે અને હાલમાં જ થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે કોરોના સામે રક્ષણ આપતી એન્ટિબોડી આપણા શરીરમાં જીવનભર રહી શકે છે.

અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકર્તાઓએ કહ્યું કે કોરોનાવાયરસના સામાન્ય લક્ષણ વાળા દર્દીનું શરીર કોરોનાવાયરસથી તેને જીવનભર સુરક્ષા આપી શકે છે.

પ્રથમ સારા સમાચાર એ છે કે સંરક્ષણ કવચ જે તમારા શરીરને કોરોના, એન્ટિબોડીઝથી સુરક્ષિત કરે છે તે હંમેશા તમારી સાથે રહેશે. બીજી રાહત એ છે કે કોરોનાથી સંક્રમિત થયાના 11 મહિના પછી લોકોમાં ફરીવાર એન્ટિબોડીઝ વિકસી રહી છે. સંશોધકોનો અભ્યાસ સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે.

અભ્યાસ મુજબ સંક્રમણથી મુક્ત થનારા દર્દીઓમાં કોરોનાવાયરસ સામે લડવા વાળી એન્ટિબોડી હંમેશા માટે રહે છે અને તેની ક્ષમતા હંમેશા વધારતી રહે છે. આ વાતમાં સારી વસ્તુ એ છે કે આ એન્ટિબોડીઝ જીવનભર રહે છે. એટલે કે સાવધાનીની સાથે કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન કોરોનાથી ડર્યા વગર આરામથી જીવી શકે છે.

અભ્યાસના લેખક દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલી લહેર દરમિયાન એવુ કહેવામાં આવતુ હતુ કે કોરોનાવાયરસના કારણે શરીરમાંથી એન્ટિબોડીઝ ઓછી થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે. આ વાત સાચી છે પરંતુ આ બંન્ને વસ્તુ જલ્દીથી રીકવર પણ થઈ જાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જે એન્ટિબોડીઝ શરીરમાં બને છે તે રોગપ્રતિકારકને કોષોમાં વહેંચે છે. તે પછી તેઓ શરીરના પેશીઓ અને લોહી સુધી પહોંચે છે. આ એન્ટિબોડીઝનું સ્તર ઝડપથી વધે છે. કોષો જ્યાંથી આ એન્ટિબોડીઝ બનાવવામાં આવે છે તેને પ્લાઝ્મા સેલ્સ કહેવામાં આવે છે.

પ્લાઝ્મા સેલ્સ શરીરના અસ્થિ મજ્જામાં બંધ થાય છે. આ પછી, શરીરમાં વાયરસનો હુમલો થતાંની સાથે જ. આ એન્ટિબોડીઝ અચાનક સક્રિય થાય છે અને તેમની સંખ્યા ખૂબ ઝડપથી વધારીને વાયરસ સામે પ્રતિક્રિયા આપે છે. આ એન્ટિબોડી આપણને અને તમારા શરીરને કોરોના વાયરસના ભયથી સુરક્ષિત કરે છે.

Exit mobile version