Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્તઃ 10 હજારથી વધુ જવાન તૈનાત

Social Share

દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને ભારે સપરક્ષા ગોઠવાઈ છે, હુમલાના ઈનપુટને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે  સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના 10 હજારથી વધુ જવાનો લાલ કિલ્લાની સુરક્ષા પર જમીનથી લઈને આકાશ સુધી નજર રાખશે.

ઉલ્આલેખનીય છે કે તંકવાદી હુમલાના ઇનપુટને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસ તમામ સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે આ સહીત અહીં પતંગ અને ફુગ્ગાઓ ઉડાડનારાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પતંગબાજોને રોકવા માટે 400 જવાનોને અલગથી તૈનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના 10 હજારથી વધુ જવાનો લાલ કિલ્લાની આસપાસ અને તેની તરફ જતા રસ્તાઓ પર તૈનાત રહેશે.અધિકારીએ આપેલી માહિતચી પ્રમાણે  આ વખતે ગુપ્તચર વિભાગ તરફથી જે પ્રકારના ઈનપુટ મળ્યા છે તેને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાનું સુરક્ષા વર્તુળ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને બનાવવામાં આવી રહ્યું છે. દરેક બાજુ,  સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન લાલ કિલ્લાની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન રહેશે. દર વખતની જેમ આ વખતે પણ પતંગ, ફુગ્ગા, ડ્રોન અને લાઇટ એરક્રાફ્ટ વગેરે ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

આ સહીત એક હજારથી વધુ આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સ્પેશિયલ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. આ કેમેરા મુલાકાતીઓ પર નજર રાખશે. દિલ્હી પોલીસ સુરક્ષાના દરેક પગલા લઈ રહી છે. ભાડૂતો, ગેસ્ટ હાઉસ અને સાયબર કાફે વગેરેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ પડોશી રાજ્યોની પોલીસના સંપર્કમાં છે. તાજેતરમાં પડોશી રાજ્યોની પોલીસ સાથે આંતરરાજ્ય સંકલનની બેઠક યોજવામાં આવી છે. તે વાસ્તવિક સમયની માહિતીની આપલે કરવા માટે સંમત થયા હતા. પાડોશી રાજ્યોએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે. 13 ઓગસ્ટથી જ સરહદો સીલ કરવામાં આવશે. સરહદો પર કડક ચેકિંગ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ દિવસે લાલ કિલ્લા પરથી પીએમ મોદી દેશનું સંબંધોન કરે છે ત્યારે તેમની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.