Site icon Revoi.in

કુવૈતમાં શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ બન્યા નવા પ્રધાનમંત્રી

Social Share

નવી દિલ્હીઃ કુવૈતના અમીરે શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. 7 એપ્રિલે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ સબાહ અલ-સાલેમ અલ-સબાહના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

4 એપ્રિલના રોજ નવી સંસદની ચૂંટણી પછી, શેખ મોહમ્મદે 6 એપ્રિલના રોજ તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું. નવી સંસદ ચૂંટાયા પછી તેમનું રાજીનામું એક પ્રક્રિયાગત પગલું હતું.

નવા પ્રધાનમંત્રી શેખ અહેમદ કુવૈતના અર્થશાસ્ત્રી છે. 2006 થી 2011 સુધી આરોગ્ય, તેલ અને માહિતી મંત્રી તરીકે સેવા આપતા પહેલા તેઓ 1999 થી 2005 સુધી નાણા અને સંચાર મંત્રી હતા.