Site icon Revoi.in

સ્પેનના રાષ્ટ્રપતિ કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને G20 સમિટમાં મોકલ્યા

Social Share

દિલ્હી: દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે સ્પેનના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે જી-20 સમિટમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હવે ભાગ લઈ શકશે નહીં. તેમના બદલે ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી G20 સમિટમાં ભાગ લેશે.

પેડ્રો સાંચેઝે કહ્યું કે તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે હવે તે દિલ્હીમાં યોજાનાર G20 સમિટમાં ભાગ લઈ શકશે નહીં. પ્રમુખ સાંચેઝે કહ્યું કે તેઓ આ ક્ષણે “સારું” અનુભવી રહ્યા છે, તેમણે ઉમેર્યું કે G20 સમિટમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો સાન્તામારિયા અને વિદેશ પ્રધાન જોસ મેન્યુઅલ આલ્બેરેસ દ્વારા સ્પેનનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે.

તેમણે ટ્વિટર પર લખ્યું, “આજે બપોરે મારો કોરોના માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે અને હું જી-20 સમિટ માટે નવી દિલ્હી જઈ શકીશ નહીં. મને સારું લાગે છે.” સ્પેનનું પ્રતિનિધિત્વ ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ અને ઈકોનોમિક અફેર્સ એન્ડ ફોરેન મિનિસ્ટર અને યુનિયન અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવશે.રાષ્ટ્રપતિ સાંચેઝ રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ સાથે જોડાતા સમિટમાંથી ખસી જનારા ત્રીજા વિશ્વ નેતા છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20 નેતાઓની સમિટ યોજાશે. 30 થી વધુ EU રાજ્યના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિત મહેમાન દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.