Site icon Revoi.in

તુર્કીમાં ફરી જોરદાર ભૂકંપના આંચકા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી:તુર્કીના દક્ષિણ ક્ષેત્રમાં ગુરુવારે રાત્રે 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંચકાથી ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી પ્રભાવિત થયા હતા, જેમાં 50,000થી વધુ લોકોના મોત થયા હતા.

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી Fahrettin Koca એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે માલત્યા અને અદિયામાનમાં ઇમારતો ધરાશાયી થતાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી બચવા લોકો ઈમારતો પરથી કૂદી પડ્યા, કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તે જ સમયે ટીવી પર પ્રસારિત થયેલા વીડિયોમાં ભૂકંપના કારણે ઈમારતોને નુકસાન થતું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તુર્કીમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા,આ ભૂકંપના આંચકા એટલા બધા જોરદાર હતા કે અનેક લોકોના મોત થયા હતા, આ સાથે ઘણું નુકસાન પણ થયું હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.