Site icon Revoi.in

જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ,CBIની વિશેષ અદાલતે સંભળાવ્યો ચુકાદો

Social Share

દિલ્હી : મુંબઈની CBI સ્પેશિયલ કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને અભિનેત્રી જિયા ખાન મૃત્યુ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી દીધા છે. સૂરજ પંચોલી પર જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. 2019થી સીબીઆઈ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. આજે નિર્ણય આવ્યો છે.

છેલ્લા 10 વર્ષથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. અગાઉ કોર્ટનો નિર્ણય ટૂંક સમયમાં આવવાનો હતો પરંતુ જિયા ખાનની માતા રાબ્યાએ કેટલીક લેખિત બાબતો રજૂ કરવા માટે થોડો સમય માંગ્યો હતો. જેના કારણે કોર્ટે તેના નિર્ણય પર બપોરે 12.30 વાગ્યા સુધી રોક લગાવી દીધી હતી.

પરંતુ હવે આ મામલે સૂરજ પંચોલીને રાહત મળી છે. જીયા ખાન આત્મહત્યા કેસમાં સીબીઆઈએ તેને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ અને તેના પરિવાર માટે આ ખુશીનો પ્રસંગ છે. આ સાથે જ જિયા ખાનની માતાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જિયાની માતા રાબ્યા આજે જ ચુકાદા માટે મુંબઈ આવી હતી. પરંતુ માત્ર નિરાશા તેમના હાથમાં લાગી.

આજે 10 વર્ષ બાદ જિયા ખાન કેસ પર ચુકાદો આવ્યો છે. જિયા ખાનની માતા રાબિયા ખૂબ જ અધીરાઈથી આ નિર્ણયની રાહ જોઈ રહી હતી. તે પોતાની દીકરી માટે ન્યાય ઈચ્છતી હતી. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. તેના આ પગલાએ બધાને ચોંકાવી દીધા હતા. જિયા એક ઉભરતી સ્ટાર હતી, તેણે માત્ર 3 ફિલ્મો દ્વારા જ પોતાની નોંધપાત્ર ઓળખ મેળવી હતી. જિયાના આત્મહત્યાના આ મોટા પગલાએ સૂરજ પંચોલીને મુશ્કેલીમાં મૂકી દીધો  હતો.