મુંબઈ:ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.આ મહત્વપૂર્ણ મેચ પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માના જમણા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી.
રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે, તેની માહિતી હજુ સામે આવી નથી.તેમજ તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં રમશે કે નહીં તે પણ જાહેર કરવામાં આવ્યું નથી.
10 નવેમ્બરે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.T-20 વર્લ્ડ કપમાં B ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.તે જ સમયે,ગ્રુપ Aમાંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ પહોંચી ગઈ છે.પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.
બી ગ્રુપમાં ટીમ ઈન્ડિયાના સૌથી વધુ 8 પોઈન્ટ છે. ભારતે 5માંથી ચાર મેચ જીતી છે. તેને આફ્રિકાના હાથે જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાનના 6 પોઈન્ટ છે. પાકિસ્તાને 5માંથી 3 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બે સેમીફાઈનલમાં વિજેતા ટીમ વચ્ચે ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે. આ મેચ મેલબર્નમાં રમાશે.