Site icon Revoi.in

પુલવામા આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ વડે કર્યો હુમલો – નિશાન ચૂકી જતા સુરક્ષાદળોનો બચાવ, 7 નાગરિકો ઘાયલ

Social Share

દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 7 નાગરિકો ઘાયલ થયા છે. સ્થાનિક ઘાયલ લોકોની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અવંતિપોરાના એસએસપી તાહિર સલીમે જણાવ્યું હતું કે, આતંકીઓએ સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. સીઆરપીએફની ટીમ ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી, જો કે આતંકવાદીઓનું લક્ષ્ય પાર પડ્યુ નથી તેઓ નિશાન ચૂકીં ગયા હતા અને સુરક્ષા કર્મચારીઓનો બચાવ થયો હતો, પરંતુ આતંકીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ માર્ગ પર ફૂટ્યો હતો અને 7 નાગરિકો તેની પકડમાં આવી ગયા હતા. અને ઘાયલ થયા હતા.

સુરક્ષા દળોએ તાત્કાલિક આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓએ તક જોતા સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

તે દરમિયાન આતંકીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ રસ્તા પર ફૂટ્યો હતો. સ્થળ નજીક બસ સ્ટેન્ડ હોવાને કારણે ઘણા લોકો ત્યાં હાજર હતા. આ લોકો ગ્રેનેડની ઝપેટમાં આવ્યા હતા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો વાહનોની તપાસ કરી રહ્યા છે.

સાહિન-