Site icon Revoi.in

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

Social Share

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત સ્વાગત કાર્યક્રમ તા. 27-01-22 નાં રોજ યોજાશે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નોના ફરિયાદો તા.1-1-2022 થી તા. 10-1-2022 સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને જણાવાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકો તેમના પ્રશ્નો તા.1-1-2022 થી તા. 10-1-2022 સુધીમાં જિલ્લાની કચેરીના વડાને મોકલી શકશે. અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. લોકોએ પોતાના પડતર પ્રશ્નો મોકલવા માટે મુદ્દાઓની ખાસ નોંધ લેવી. લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નોના જ મોકલવા, અગાઉ સબંધિત ખાતામાં કરેલી રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલા જવાબ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલા પ્રશ્નો બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્નોના ક્રમાંક, માસનું નામ લખવું, પ્રશ્નો કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે,

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવા આધારો સાથે હોવી જરૂરી છે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નોનો, અલગ-અલગ અરજીઓમાં મોક્લવાના રહેશે, સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નોનો રજુ કરી શકશે નહીં, પ્રશ્નો અરજદારનો પોતાનો હોવો જોઈએ, બીજાના પ્રશ્નો ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગધ્વેશ, ને લગતા પ્રશ્નોનો ધ્યાને લેવાશે નહીં, તાલુકા કક્ષાના પ્રશ્નો માટે સબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે. મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નોનો જિલ્લા પૂરતા, જિલ્લા કલેકટર કચેરી, ખાતે તા: 1-1-2022 થી તા. 10-1-2022 સુધીમાં રજુ કરવાનાં રહેશે. તા.10-1-2022 બાદ આવેલ પ્રશ્નોનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.