Site icon Revoi.in

કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, માત્ર બેંગલુરુમાં જ 4 હજાર કેસ નોંધાતા સીએમ એ આપ્યા આ આદેશ

Social Share

બેંગલુરુ  – દેશભરમાં ડેન્ગ્યુના કેસ છૂટા છવાયા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે એક જ શહેરમાં 4 હજારથી વઘુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને રાજ્યના સીએમએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે.

 રાજ્ય સરકાર હવે તેમને નિયંત્રિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને પાણીજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. લોકોને તેમની આસપાસની સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પણ વિનંતી કરવામાં આવી છે.