Site icon Revoi.in

ગુજરાતમાં હવે કોરોનાના વેરિયન્ટની ચકાસણી થશે, સેમ્પલ પૂણે કે અન્ય સ્થળે નહીં મોકલાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં  કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે. સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાની પુષ્ટિ થઇ છે. જો કે આ વાઇરસના વેરિઅન્ટની ચકાસણી માટે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી એપ્રિલમાં લેવાયેલાં સેમ્પલ્સના પરિણામો જૂન મહિનાના અંતે મળ્યાં. પરંતુ હવે ગુજરાતમાં જ કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે. સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે.

હવે ડેલ્ટા કે કોઇપણ પ્રકારના વેરિઅન્ટની ચકાસણી રાજ્યામાં જ થશે. અગાઉ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મોકલાતા હતાં. હવે GBRCમાં જ પ્રતિમાસ 1 હજાર સેમ્પલ ચકાસશે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અન્ય કેટલીક બાયોટેકનોલોજી રીસર્ચ કંપનીઓ સાથે આ માટે કરાર કર્યાં છે. જેમાંથી ક્ષમતા પણ વધશે.સરકારની GBRC ગુજરાતની 2 કંપની હેસ્ટર બાયોસાયન્સિસ અને ઓમ્નીબ્રેક્સ સાથે રસી વિકસાવવા કામ કરી રહી છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીના નિર્માણ માટે ટેક્નોલોજી શેરિંગ કરી રહી છે.

(Photo - Social Media)