Site icon Revoi.in

કોરોના રસીકરણઃ રાજકોટમાં ધન્વંતરી રથના ડ્રાઈવરને અપાઈ પ્રથમ રસી

Social Share

અમદાવાદઃ ભારતમાં આજે કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પ્રારંભ થયો છે. ભારતમાં સૌથી પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમ રસી રાજકોટના ધન્વતંરી રથના ડ્રાઈવર અશોક ગોંડલિયાને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ રસી લેનાર આરોગ્ય કર્મચારી અશોક ગોંડલિયાએ તમામ લોકોને રસી લેવા અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિક અશોક ગોંડલિયાએ કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ સેન્ટરો ઉપર કોરોના રસીકરણનો આરંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલમાં રસીકરણીની શરૂઆત સમયે હાજર રહ્યા. અમદાવાદ સિવિલમાં રસી લેનાર ડૉ. નવીન ઠાકર અને ડૉ. કેતન દેસાઈ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા. રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. વડોદરામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો. પાટનગર ગાંધીનગરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નિયતિ લાખાણી પહેલી રસી લીધી.