Site icon Revoi.in

ગુજરાતમાં 46 સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરીને છાત્રાલયના ફુડ બીલમાં પણ વધારો કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રણ સરકારી,34 અર્ધ સરકારી અને 9 ગ્રાન્ટેડ સંસ્કૃત પાઠ શાળાઓ આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓને કર્મકાંડનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે. સંસ્કૃત પાઠ શાળાના સંચાલકો દ્વારા સ્ટાફની નિમણૂંક કરવા, અનુદાનમાં વધારો કરવા સહિતની માગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણમંત્રીએ તમામ પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈએ  વાઘાણીએ જણાવ્યું હતું કે સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વ ચિંતનના સંવર્ધન માટે હયાત 3 સરકારી, 34 અર્ધસરકારી અને 9 અનુદાનિત એમ કુલ 46 પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે. સંસ્કૃત ભાષાની જાળવણી તેમજ સંસ્કાર અતિ મહત્વના છે ત્યારે સંસ્કૃતમાં તેની જાગૃતતા વધે એ હેતુથી ચાલતી પાઠશાળાઓ માટેનો અગત્યનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  શાળાઓમાં 6, 7, 8 ના વર્ગો શરૂ કરવા પૂર્વ માધ્યમમાં 9 અને 10 અને પૂર્વ વર્ગમાં ધો.11 અને 12ના વર્ગોનું નિયમન કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે, તમામ પાઠશાળાઓને 100 ટકા ગ્રાન્ટ તેમજ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવશે. આ શાળાઓમાં અધ્યાપકો નિમણૂક કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત છાત્રાલય ગૃહપતિ, રસોઈ, હેલ્પર, અધ્યાપક, ચોકીદારની વ્યવસ્થા માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.