Site icon Revoi.in

કચ્છની સરહદ ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલો ભારતીય 12 વર્ષે પરત ફર્યાં

Social Share

અમદાવાદઃ કચ્છના પશુપાલક વર્ષ 2008માં ભૂલથી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. વર્ષો સુધી પાકિસ્તાનની વિવિધ જેલમાં યાતનાઓ ભોગવ્યા બાદ ભારત સરકાર અને પાકિસ્તાનની સંસ્થાઓના પ્રયાસોથી તેઓ પરત ભારત ફર્યાં છે. સજા પૂર્ણ થયા બાદ પણ તેમને પાકિસ્તાનની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાના દિનારા ગામમાં રહેતા 60 વર્ષીય ઈસ્માઈલ સમા વર્ષ 2008માં પોતાના પશુઓ ચરાવતા ચરાવતા ભૂલથી પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયા હતા. જેથી પાકિસ્તાનની સેનાએ તેમની અટકાયત કરી હતી.પાકિસ્તાની સેનાએ તેમને જાસૂસ અને રૉ એજન્ટ માની લીધો હતો. આઈએસઆઈએ 6 મહિના જેલમાં રાખ્યો બાદ પાકિસ્તાની સૈન્યને હવાલે કર્યા હતા. અદાલતે તેમને 5 વર્ષ જેલની સજા સંભળાવી હતી. ઓક્ટોબર 2016માં સજા પૂર્ણ થયા બાદ પણ મુક્ત કરવામાં આવ્યાં ન હતી. તેઓ લગભગ સાત વર્ષ સુધી હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં હતા. દરમિયાન ભારતીય હાઈકમિશનની એક અરજી પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ તાજેતરમાં જ તેમને જેલમાંથી મુક્ત કરવામા આવ્યા હતા.

અટારીમાં અધિકારીઓએ જણાવ્યું કે, સમા વાઘા-અટારી ઈન્ટરનેશનલ બોર્ડર થઈ અમૃતસર પહોંચ્યો. તેના પરિવારના અમુક સભ્યો પણ સમાને લેવા અમૃતસર ગયા હતા.