Site icon Revoi.in

 નેવી ચીફે કહ્યું- વર્ષ 2047 સુધીમાં નેવી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જશે

Social Share

દિલ્હી:નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું છે કે,જહાજો અને સબમરીનના ઉત્પાદનથી લઈને ભાગો અને શસ્ત્રો સુધી, ભારતીય નૌકાદળ 2047 સુધીમાં “સંપૂર્ણપણે” આત્મનિર્ભર થઈ જશે.

એડમિરલ કુમારે સંરક્ષણ પરિષદમાં જણાવ્યું હતું કે,રશિયા-યુક્રેન સંઘર્ષમાંથી ઘણું શીખવા જેવું છે, જેમાં નવી ટેકનોલોજી, સાયબર સ્પેસ અને તમામ પ્રકારના દારૂગોળાનો ઉપયોગ જોવા મળ્યો હતો.તેમણે કહ્યું કે,બંને દેશો વચ્ચેના સંઘર્ષે કોઈપણ દેશના સંરક્ષણ માટે ‘આત્મનિર્ભરતા’ની જરૂરિયાતને રેખાંકિત કરી છે.

‘ઇન્ડિયા ડિફેન્સ કોન્ક્લેવ’ 2022 દરમિયાન પ્રશ્નોના જવાબમાં એડમિરલ કુમારે કહ્યું, “2047 સુધીમાં અમારી પાસે સંપૂર્ણ સ્વદેશી નૌકાદળ હશે, પછી તે જહાજો હોય, અથવા સબમરીન, એરક્રાફ્ટ, માનવરહિત પ્રણાલી, શસ્ત્રો વગેરે.” તેમણે કહ્યું કે,આપણે સંપૂર્ણ રીતે ‘આત્મનિર્ભર’ નૌસેના હશે.તે જ અમે લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ.”

રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે ભારતીય નૌકાદળની સપ્લાય ચેઈનને અસર થઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, “અત્યાર સુધી અમારા પર કોઈ મજબૂત દબાણ નથી. અમારી પાસે પૂરતો સ્ટોક છે. આજે એરક્રાફ્ટ કે એરક્રાફ્ટ ડિપ્લોયમેન્ટના સંદર્ભમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. અમે અમારા દેશના ઉદ્યોગ પાસેથી મદદ લેવા માટે પગલાં લીધાં છે.