- છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ
- ગઈ કાલ કરતા થોડા વધારે
- કેસ નાની સંખ્યામાં આવતા લોકોને રાહત
દિલ્હી : દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલી મોટી સંખ્યામાં નોંધવામાં આવી રહ્યા નથી જેના કારણે હવે લોકોને રાહત છે. સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ નોંધવામાં આવ્યા છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 2568 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 29 લાખ 96 હજાર 62 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 97 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 15 હજાર 974 લોકોના મોત થયા છે.
મહામારીનું સંકટ ઓછું થતા દેશમાં ફરીવાર મોટીભાગની છૂટછાટ આપવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે હજું પણ કોરોનાવાયરસ માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરે.