Site icon Revoi.in

બોટાદમાં રોજગારી આપતા એકમાત્ર હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરાઘસુઓની કફોડી સ્થિતિ

Social Share

બોટાદઃ  સૌરાષ્ટ્રના તમામ શહેરોનો વિકાસ થયો છે. ત્યારે બોટાદ શહેરનો ઔદ્યોગિકરીતે કોઈ જ વિકાસ થયો નથી. બોટાદમાં કોઈ મોટો ઉદ્યોગ નથી કે રોજગારી આપી શકે, એટલે એક માત્ર હીરા ઉદ્યોગ જ છે. કે જિલ્લાના યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ મંદીને કારણે બંધ થઈ ગયા છે. અને કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીમાં છે, ત્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.

બોટાદ જિલ્લો ખેતી અને હિરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. જિલ્લામાં હાલ મુખ્યત્વે હિરા ઉદ્યોગ છે. હિરા ઉધોગ સાથે હજારો લોકો સંકળાયેલા છે .અનેક રત્નકલાકારો પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. બોટાદ શહેર અને જિલ્લામાં 1500 થી વધારે નાનામોટા હિરાના કારખાનાઓ આવેલા છે, પરંતુ   રશિયા યુક્રેનના યુદ્ધને કારણે હિરાનો કાચો માલ આવતો નથી અને તૈયાર થયેલો માલ વેચાતો નથી. તેમજ વૈશ્વિક મંદીના કારણે હિરા ઉદ્યોગની માઠી અસર થઈ છે,  અને હિરા ઉદ્યોગમાં મંદીમાં સપડાયો છે. ત્યારે શહેર અને જિલ્લામાં 15 ટકા કારખાના બંધ થયા છે અને બાકિના કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે.  હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો સરકાર હિરા ઉદ્યોગમાં લોન જેવી સહાય આપે તો હિરા ઉદ્યોગમાં ફરી તેજી આવે તેમ ડાયમંડ એસો.નું માનવું છે.

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો બોટાદ છે, પરંતુ બોટાદ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હિરા ઘસવાનું કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. શહેર અને જિલ્લાના તમામ ગામોમાં હિરાના કારખાના ધમધમે છે અને હિરા ઉદ્યોગ જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે હિરાનો કાચો માલ આવતો નથી તો વળી તૈયાર હિરા તાત્કાલિક વેચાતા નથી.  જેથી કારખાનાના માલિકના રોકાયેલા રૂપિયા છુટ્ટા થતા નથી. જેથી કારખાનાના માલિકો રત્ન કલાકારોને સમયસર પગાર કરી શકતા નથી કે, ઉપાડ આપતા નથી. જેની સીધી અસર રત્ન કલાકારો પર પડી રહી છે અને રત્ન કલાકારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર રત્ન કલાકારોની વ્હારે આવે તેવુ રત્ન કલાકારો ઈચ્છી રહ્યા છે.

બોટાદ જિલ્લાનો મુખ્ય ઉધોગ હિરા ઉદ્યોગ છે ત્યારે હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. જેના કારણે શહેર અને જિલ્લાના 15 ટકા હિરાના કારખાનાઓ બંધ થઈ ગયા છે અને કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે. અને રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર રત્ન કલાકારોની વ્હારે આવે અને હિરા ઉદ્યોગ ફરીવાર ધમધમતો થાય તેવું રત્નકલાકારો ઈચ્છી રહ્યા છે. (file photo)