Site icon Revoi.in

કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા

Social Share

દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં ખૂબ જ ઝડપછી કેસની સંખ્યા વધતી જઈ રહી છએ જેને લઈને રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા છે અને કોરોનાની સ્થિતિ પર ધ્યાન આપવા જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના મુખ્યમંત્રી  પિનરાઈ વિજયન એ કોરોનાના વધતા કહેરને જોતા  આજરોજ  બુધવારે તમામ જિલ્લાઓને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિતોની સંખ્યામાં થોડો વધારો થયો છે અને મંગળવારે કોરોનાના 172 નવા કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લામાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે.જેને લઈને હવે દરેકે સતર્ક રહેવું જરુરી છે.