Site icon Revoi.in

કથિત છેતરપીંડી કેસમાં ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતની પત્નીને મળી મોટી રાહત

Social Share

બેંગ્લોરઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મોંને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે, પરંતુ જે સમયે અભિનેતા તેની પત્નીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. રજનીકાંતની પત્ની લતા રજનીકાંતને તમિલ ફિલ્મ ‘કોચડાઈયા’ના સાથે છેતરપિંડીના આ મામલામાં બેંગલુરુની એક અદાલતે જામીન આપ્યા છે. લતાએ આરોપોને નકારી કાઢીને દાવો કર્યો કે સેલિબ્રિટી હોવાના કારણે એમે આ કિંમત ચુકવીએ છીએ.
લતા રજનીકાંતે પોતાના ઉપર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું કે “ મારે માટે આ એક લોકપ્રિય વ્યક્તિના અપમાન અને સતામણીનો મામલો છે. આ એ કિંમત છે, જે અમે સેલિબ્રિટી હોવાના કારણે ચુકવવીએ છીએ. તો મામલો ભલે મોટો ના હોય, પરંતુ ખબર ખુબ મોટી થઈ જાય છે. કોઈ છેતરપિંડી નથી. આ અમારી છાપ ખરાબ કરવાનું એક કાવતરું હતુ, જેમાં મને છુટકારો મળ્યો છે.“
ચેન્નાઈ સ્થિત એડ બ્યુરો એડવરટાઈજિંગ પ્રાઈવેટ લિમિટેડ એ 2014ની ફિલ્મના અધિકારીઓને લઈ ને એમના સામે છેતરપિંડીનો કેસ કર્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો કે એમને ફિલ્મ નિર્માતાઓ માંથી એક , મીડિયા મેન ને 10 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, લતા રજનીકાંતએ બાયધરી રૂપમાં હસ્તાક્ષર કર્યા હતા.
લતા રજનીકાંતએ કહ્યું કે, “જે પૈસા વિશે વાત કરી રહ્યા છે, તેમાં મારે કોઈ લેવા દેવા નથી. આ મીડિયા મેન અને સબંધીત લોકો વચ્ચેનું છે. બાયધરી રૂપમાં મને એ ખાતરી કરી કે તેમને ચુકવણી કરી દીધી છે. એના પછી મને ફસાવવામાં આવી છે.”