Site icon Revoi.in

ઉત્તરાખંડમાં દબાણ કરીને મજારો બનાવવાનું મોટુ ષડયંત્ર છેઃ પુષ્કર ધામી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને મુદ્દે જણાવ્યું હતું કે, આ લોકોના હિત માટે છે. આ દરમિયાન તેમણએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટમીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.

તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉત્તરાખંડના દિલમાં રહે છે. પીએમ મોદીને રાજ્યની તમામ પાંચેય સીટ આપશે. મને એવુ લાગે છે કે, તમામ બેઠકો ભાજપા જીતશે. 19મી એપ્રિલના રોજ તૃષ્ટીકરણ અને જાતિવાદ સામે ઉત્તરાખંડની જનતા જવાબ આપશે.

પુષ્કર સિંહ ધામીએ યુસીસી મામલે જણાવ્યું હતું કે, આ અમારો હંમેશાથી આ એજન્ડો રહ્યો છે. આ ઉત્તરાખંડની જનતાનું સૌભાગ્ય રહ્યું કે, આને લાગુ કરવાનો અમને મોકો મળ્યો છે. અમે ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો અમે યુસીસી લાગુ કરીશું. અમે સંવિધાનની મર્યાદામાં રહીને યુસીસી લાગુ કર્યો છે. અમે કોઈને ટાર્ગેટ કર્યા નથી.

ગેરકાયદે મજાર દૂર કરવા મામલે ધામીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ દેશમાં વર્ક કલ્ચર બદલાયું છે. પહેલા માત્ર વોટ બેંકની રાજનીતિ થતી હતી. પહેલા તૃષ્ટીકરણની રાજનીતિ થતી હતી અને દેશનું હિત પાછળ રહી જતું હતું. અતિક્રમણ કરીને મજાર બનાવવાનું મોટુ ષડયંત્ર છે. દેશમાં હાલ લોકસભા ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.