Site icon Revoi.in

હવે HIVથી ડરવાની જરૂર નથી,એક ઈન્જેક્શનથી નાબૂદ થશે બિમારી

Social Share

કેટલીક બિમારી એવી હોય છે કે જેના નામથી પણ વ્યક્તિને ડર લાગે છે અને એવું વિચારે છે કે આ બિમારી તો દુશ્મનને પણ ન થવી જોઈએ. આવી બિમારી વિશે તમે જાણતા જ હશો પણ આ વખતે વાત કરીશું HIVની.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 36.3 મિલિયન દર્દીઓ એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે. આ એક મોટી સમસ્યા બની ગઈ છે. આ વાયરસ અસુરક્ષિત સેક્સ દ્વારા ફેલાય છે. આ સિવાય એચઆઈવી સંક્રમિત વ્યક્તિના લોહીના સંપર્કમાં આવવાથી કોઈપણ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે.

આ બિમારીને પણ લોકો ગંભીર રીતે જોવે છે અને હકિકતમાં તે ગંભીર બિમારી છે, પણ હવે તેનાથી ડરવાની જરૂર નથી. વાત એવી છે કે એચઆઇવી, વાયરસ જે એઇડ્સનું કારણ બને છે, તેને હવે ઇન્જેક્શન વડે નાબૂદ કરી શકાય છે. ઈઝરાયેલ (Israel) ની તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એચઆઈવીની રસી બનાવવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે રસીના એક જ ડોઝથી વાયરસને ખતમ કરી શકાય છે.

આ રસીની તૈયારીમાં શ્વેત રક્તકણો (WBCs)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાયન્સ ડેલીના રિપોર્ટ અનુસાર, જીન એડિટિંગ ટેક્નોલોજીની મદદથી શ્વેત રક્તકણોમાં ફેરફાર કરીને રસી તૈયાર કરવામાં આવી છે. સંશોધકો કહે છે કે, HIV સંક્રમણથી પીડિત દર્દીમાં રોગો સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. નવી રસી રોગ સામે લડતી રોગપ્રતિકારક શક્તિમાં HIV વાયરસ સામે એન્ટિબોડીઝ વિકસાવે છે. આ વાયરસને હરાવી દે છે. આ રીતે, રસી લીધા પછી, શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ જાય છે, તે પણ રસીના એક જ ડોઝથી.

સંશોધકોનું કહેવું છે કે, આ બી-સેલ્સના જીન્સમાં ફેરફાર કરીને તેઓ વાયરસના સંપર્કમાં આવ્યા હતા. સંશોધન દરમિયાન, તે સામે આવ્યું કે વાયરસ નાબૂદ થઈ ગયો છે. આ પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો છે.