Site icon Revoi.in

‘ શ્રી કૃષ્ણા’ સિરિયલના આ કલાકાર આર્થિક મુશ્કેલીમાંથી થઈ રહ્યાં છે પસાર, મદદ માટે કરી અપીલ

Social Share

મુંબઈઃ રામાનંદ સાગરની સિરિયલ શ્રી કૃષ્ણામાં ભીષ્મ પિતામહનો અભિનય કરનારા અભિનેતા સુનીલ નાગર મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ સાથ છોડી દીધો છે. તેમજ બચત પણ હવે ખતમ થઈ ચુકી છે. સુનિલને મુંબઈના ઓશિવારા સ્થિત મકાન પણ વેચવુ પડ્યું છે. હાલ તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. હવે દરરોજના ખર્ચ માટે પણ તેમની પાસે નાણા નથી. તેમનો ફોટો અને બેંક ડિટેલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર હકીકત સામે આવી છે.

સુનિલ નાગરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ સમય એવો છે કે જેમાં કોને દોષ આપવો તેની મને ખબર નથી. હું કોઈની પાસે મદદ માંગવા નથી માગતો પરંતુ સ્થિતિ સારી નથી. જ્યારે હું કામ કરતો હતો ત્યારે સારી એવી કમાણી કરી હતી. મે અનેક હિટ શોઝ કર્યાં છે અને કેટલીક ફિલ્મો પણ કરી છે. લોકોએ મારુ કામ પસંદ પણ કર્યું અને વધારે કામ પણ આપ્યું. પરંતુ આજે મારી પાસે કોઈ કામ નથી. હું એક પ્રશિક્ષિત ગાયક પણ છું, તાજેતરમાં એક રેસ્ટોરેન્ટે મને ગાવાની ઓફર પણ આવી હતી. તેઓ મને દરરોજનો ખર્ચ આપતા હતા. જો કે, લોકડાઉનના કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ છે. કેટલપાક મહિનાઓથી મકાનનું ભાડુ પણ નથી આપ્યું.

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટસ એસો.ને જ્યારે સુનિલ વિશે જાણ થઈ તો તેમણે મદદ માટે તૈયારી દર્શાવી છે. સુનિલ નાગરે જણાવ્યું કે, તેમણે મને ભરોસો આપ્યો છે. મે તેમને મારી ખરાબ પરિસ્થિતિ અંગે જાણ કરી હતી.

કલાકારે જણાવ્યું હતું કે, માતા-પિતા અહીં નથી અને દીકરાથી કોઈ આશા નથી. લોકો વિચારે છે કે એક અભિનેતા જેને આટલું કામ કર્યું તેની આવી પરિસ્થિતિ કેવી રીતે થઈ શકે. પરંતુ હું વિચારું છું કે, આ જ જીંદગીની સચ્ચાઈ છે. મને પહેલા આર્થિક નુકસાન થયું હતું. પરિવાર મને છોડીને જતો રહ્યો છે. મારા દીકરાને સારુ શિક્ષણ આપ્યું છે. મારા ભાઈ-બહેન પણ છે પરંતુ કોઈને  મારી ચિંતા નથી. મને કોરોના નથી થયો પરંતુ અન્ય આરોગ્યને લગતી સમસ્યા છે. મને આશા છે કે એક દિવસ હું સાજો થઈશ.