Site icon Revoi.in

આ ગિલોય નામક ઔષધિ ડાયાબિટીઝથી લઈને અનેક બીમારીનો ઈલાઝ

Social Share

વિશ્વભરમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારની ઔષધઇઓનો ઉપયોગ થતો આવ્યો છે.આ ઓષધમાં ગિલોય એક એવી દવા છે, જેને સ્વાસ્થ્ય નિષ્ણાતો ખૂબ જ ફાયદાકારક માને છે. કોરોનાના આ યુગમાં લોકો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયનો ઉપયોગ કરતા હતા.

ગિલોય છોડના તમામ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે. જોકે તેની દાંડી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો તેમાંથી બનાવેલા ઉકાળાના સેવનને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને અનેક રોગોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક માને છે.

આ સાથે જ કેટલાક અભ્યાસો સૂચવે છે કે ગિલોયમાં જોવા મળતા સંયોજનો તાવ, પેશાબની સમસ્યાઓ, અસ્થમા, મરડો, ઝાડા અને ચામડીના ચેપ જેવી વિવિધ બિમારીઓના ઉપચારમાં ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.

 ગિલોયનો ઉકાળો અથવા બજારમાં ઉપલબ્ધ તેની ગોળીઓનું સેવન કરવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે.

ગિલોયના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ

. ગિલોય પર કરવામાં આવેલા પ્રયોગશાળાના અભ્યાસો સૂચવે છે કે તેમાં એન્ટીઑકિસડન્ટોની સારી માત્રા છે, તેથી તે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.

સ્તન, પ્રોસ્ટેટ અને અંડાશયના કેન્સરના કોષો પરના લેબ ટેસ્ટમાં જાણવા મળ્યું કે ગિલોયનું સેવન કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

ગિલોયનું સેવન એલર્જી સામે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરી શકે છે.,

ગિલોયનું સેવનનું તાવની એલર્જી ધરાવતા 75 લોકો પર હાથ ધરવામાં આવ્યું હતું ,આ  અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગિલોય તેના લક્ષણો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે અન્ય ઘણા રોગો અને ચેપનું જોખમ પણ ઘટે છે.

આયુર્વેદમાં, ગિલોયને ‘મધુનાશિની’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરવા સાથે, ગિલોયનું સેવન બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.

ગિલોય ડાયાબિટીસની ગૂંચવણો જેમ કે અલ્સર, કિડની અને આંખની સમસ્યાઓ માટે પણ ઉપયોગી છે.