Site icon Revoi.in

ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેનો આજે જન્મદિવસ,ફિલ્મોમાં પણ કર્યું છે કામ

Social Share

મુંબઈ:ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેને કોઈ પરિચયની જરૂર નથી.અંકિતાએ સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતની સામે લોકપ્રિય ડેઈલી સોપમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. અંકિતાએ 2018 માં કંગના રનૌત-સ્ટારર “મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી રાણી લક્ષ્મી બાઈ” ના જીવન પર આધારિત એપિક ડ્રામા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તાજેતરમાં અંકિતા લોખંડેએ બિઝનેસ મેન વિક્કી જૈન સાથે લગ્ન કર્યા છે.પરંતુ આજે હેડલાઇન્સ બનાવવાનું કારણ અલગ છે. વાસ્તવમાં આજે અંકિતા લોખંડેનો 37મો જન્મદિવસ છે. તો ચાલો આજે અમે તમને અંકિતા લોખંડેની લાઈફસ્ટાઈલ  વિશે જણાવીશું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી તેની મોટાભાગની કમાણી ટીવી સિરિયલો, ફિલ્મો, જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા કમાય છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે,અંકિતા ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા સુધીની ફી લેતી હતી.

અંકિતાએ તેની ડેબ્યૂ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ માટે લગભગ 2-3 કરોડ રૂપિયા ફી લીધી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ઘણી વધુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અંકિતા લોખંડેને જીમ જવાનું બિલકુલ પસંદ નથી. તે પોતાને ફિટ રાખવા માટે ડાન્સ કરે છે. તે માને છે કે ડાન્સ એ કસરતનો શ્રેષ્ઠ વિકલ્પ છે. નૃત્ય શરીરને મજબૂત બનાવે છે.