Site icon Revoi.in

પાકિસ્તાનમાં બેરોજગારીનું સંકટ વધ્યું,વિદેશી નોકરી શોધનારાઓની સંખ્યામાં 27.6 ટકાનો વધારો થયો

Social Share

દિલ્હી:પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દેશમાં રહેતા નાગરિકો હવે અન્ય દેશો પાસે આશ્રય લઈ રહ્યા છે.એક રિપોર્ટમાં પાકિસ્તાનથી વિદેશ જતા લોકો અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશના મોટાભાગના યુવાનો વિદેશમાં નોકરી મેળવવા માંગે છે. આવો જ એક ખુલાસો આ રિપોર્ટમાં થયો છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વર્ષ 2021 માં વિદેશમાં નોકરી મેળવવા માંગતા પાકિસ્તાનીઓની સંખ્યા પાછલા વર્ષની સરખામણીમાં વધીને 27.6 ટકા થઈ ગઈ છે.આવું એટલા માટે થયું છે કારણ કે પાકિસ્તાનમાં આર્થિક સંકટને કારણે જોબ માર્કેટમાં ઘટાડો થયો છે. ખરેખર, કોવિડ રોગચાળાએ પાકિસ્તાનમાં રોજગારની તકોને મોટો ફટકો આપ્યો છે. જેની દેશની આર્થિક સ્થિતિ પર પણ મોટી અસર પડી હતી. પાકિસ્તાનના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ બ્યુરોએ વર્ષ 2021માં વિદેશી રોજગાર માટે 2,86,648 કામદારોની નોંધણી કરી હતી.

રિપોર્ટ અનુસાર, ગત વર્ષની સરખામણીએ આમાં 27.6 ટકાનો વધારો થયો છે.પાકિસ્તાનમાંથી નોકરી માટે વિદેશ જતા લોકો સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર ગયા છે.તેમાંથી 54 ટકા પાકિસ્તાનીઓએ સાઉદી અરેબિયા, 13.4 ટકાએ ઓમાન અને 13.2 ટકાએ કતાર જવાની માગણી કરી છે. દરમિયાન, એવું પણ અવલોકન કરવામાં આવ્યું છે કે 2020 ની સરખામણીમાં 2021 માં નોંધાયેલા સ્થળાંતરકારોના કિસ્સામાં ઝડપી વૃદ્ધિનું વલણ છે.