Site icon Revoi.in

તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મીનું થાય છે અપમાન,ઘરમાં ગરીબી અને આર્થિક સમસ્યાઓ વધશે

Social Share

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું સાવરણી અને અન્ય મહત્વની બાબતો વિશે. જો તમે સાવરણી તૂટ્યા પછી પણ તેને રિપેર કરીને તમે તેનો ઉપયોગ તમારા ઘર અથવા ઓફિસમાં ઉપયોગમાં લઈ રહ્યા છો,તો વાસ્તુના દૃષ્ટિકોણથી તે બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક અને પારિવારિક જીવનમાં નુકસાન થાય છે. આ સિવાય તે ઘરમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે અને તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી, તમારે તમારા ઘર અથવા ઓફિસમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ, અંહી જાણો વધુમાં.

તૂટેલી સાવરણી સાથે શું કરવું જોઈએ?

સાવરણી તૂટ્યા પછી તરત જ બદલવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ભૂલથી પણ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો. આને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘણી આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

અલમારી કે તિજોરી પાછળ સાવરણી ન રાખો.

આ સિવાય સાવરણી ક્યારેય પણ અલમારી કે તિજોરીની પાછળ કે બાજુમાં ન રાખવી જોઈએ જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો. જેના કારણે પૈસાની અછત સર્જાય છે. ઉપરાંત, તે તમારી આર્થિક બાજુને વધુ નબળી બનાવી શકે છે. તો, વાસ્તુશાસ્ત્રમાં સાવરણી વિશેની અન્ય મહત્વની બાબતો પર આ ચર્ચા હતી. આશા છે કે તમને પણ આ વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ચોક્કસ ફાયદો થશે.