Site icon Revoi.in

મોટા શહેરોમાં વંદે ભારત ટ્રેનની જેમ વંદે મેટ્રો દોડાવાશે, બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં દોડાશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, રેલ્વે મંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતને આશાવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે, કારણ કે તેમને માત્ર ભારત પાસેથી જ અપેક્ષાઓ છે. રેલવેને મળેલા બજેટના ખર્ચ કરવા અંગે તેમણે કહ્યું કે આ બજેટનો ઉપયોગ રેલવે સ્ટેશનોના વિકાસથી લઈને વંદે ભારત એક્સપ્રેસ, વંદે મેટ્રો અને હાઈડ્રોજન ટ્રેન જેવી નવી ટેક્નોલોજી ટ્રેનો માટે કરવામાં આવશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોટા સ્ટેશનોથી લઈને નાના સ્ટેશનો સુધી કુલ 1275 પ્લેટફોર્મને વર્લ્ડ ક્લાસ બનાવવાનું કામ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે કામ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ સિવાય મોટા શહેરો માટે વંદે મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે, જેનું ઉત્પાદન આ વર્ષથી શરૂ કરવામાં આવશે. બુલેટ ટ્રેનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બજેટમાં ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેની મદદથી દેશમાં હાઈડ્રોજન ટ્રેન દોડાવવામાં આવશે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં દોડાવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે, ગ્રીન, પાવર, હાઈવે અને પોર્ટ જેવા સેક્ટરમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાથી દેશની અર્થવ્યવસ્થા પર 33 લાખ કરોડ રૂપિયાની અસર પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ 33 લાખ કરોડ રૂપિયાથી 1 કરોડ 40 લાખ નોકરીઓનું સર્જન થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રોજગારીની સાથે દેશનો પણ વિકાસ થશે.