Site icon Revoi.in

ભારતમાં જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પડાયો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે નળથી પાણી પહોંચડવાનું અભિયાન શરૂ કર્યું છે. દેશના 83 જિલ્લાઓએ 100 ટકા નળથી પાણી પુરવઠાવાળા ઘરોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 5,51,93,885 ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.

સંસદમાં આર્થિક સર્વે 2021-22 રજૂ કરતા, કેન્દ્રીય નાંણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ, 2019માં જલ જીવન મિશન (JJM) ની શરૂઆત થઈ હતી. ત્યારથી, 5.5 કરોડથી વધુ પરિવારોને નળની સુવિધા મળી છે. પાણી પુરવઠો હાથ ધરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે જલ જીવન મિશન (JJM) 2024 સુધીમાં ગ્રામીણ ભારતમાં પરિવારોને વ્યક્તિગત ઘરેલું નળ કનેક્શન દ્વારા પર્યાપ્ત સલામત પીવાનું પાણી પૂરું પાડવાની પરિકલ્પના કરે છે અને આના પરિણામે 19 કરોડથી વધુ ગ્રામીણ પરિવારો અથવા 90 કરોડથી વધુ ગ્રામીણ વસ્તીને ફાયદો થશે.

સર્વે જણાવે છે કે 2019માં, ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 18.93 કરોડ પરિવારોમાંથી, લગભગ 3.23 કરોડ (17 ટકા) ગ્રામીણ પરિવારો પાસે તેમના ઘરોમાં નળના પાણીના જોડાણો હતા. 02 જાન્યુઆરી 2022 સુધીમાં, મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 5,51,93,885 ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. ગોવા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ દીવ અને હરિયાણા નામના છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ નળના પાણીના પુરવઠા સાથે 100% ઘરોનો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

તેવી જ રીતે, 83 જિલ્લાઓ, 1016 બ્લોક્સ, 62,749 પંચાયતો અને 1,28,893 ગામોએ 100% ઘરગથ્થુ નળ પાણી પુરવઠાની સ્થિતિ પ્રાપ્ત કરી છે. 19.01.2022 સુધી જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. JJM હેઠળ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, GP બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, કલ્યાણ કેન્દ્રો અને સામુદાયિક બિલ્ડીંગોને કાર્યાત્મક નળ કનેક્શન આપવા માટે, ગુણવત્તાયુક્ત અસરગ્રસ્ત વિસ્તારો, દુષ્કાળગ્રસ્ત અને રણ વિસ્તારો, સંસદ આદર્શ ગ્રામ યોજના (SAG)ના ગામોને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગામડાઓના મિશન માટે કુલ રૂ. 3.60 લાખ કરોડનો ખર્ચ છે.