Site icon Revoi.in

કેમ ડોર-ટુ-ડોર વેક્સિન શક્ય નથી? કેન્દ્ર સરકારે આ બાબતે કેટલાક કારણો જણાવ્યા

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ જેટલી ગતિએ આવી રહ્યા છે તેના કરતા વધારે ઝડપથી સરકાર વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવા સવાલ પણ ઉભા થયા હતા કે સરકાર દ્વારા કેમ ડોર-ટુ-ડોર વેક્સિન આપવામાં આવતી નથી.

આ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે આ વાત એટલી સરળ નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનેશન બાદ દર્દીને કોઈ સમસ્યા ઉભી થાય તો ડોર ટુ ડોર વેક્સિનેશનમાં દર્દીની સારવાર કરવી મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય વેક્સિનેશન બાદ દર્દીને 30 મિનિટ સુધી સુપરવિઝનમાં રાખવાનો હોય છે.વેક્સિનેશન માટેની ટીમ કોઈના ઘરે 30 મિનિટ સુધી રોકાઈ શકે તે વ્યવહારિક રીતે શક્ય નથી.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જણાવ્યું કે વેક્સિનની એફસિયન્સી પર પણ અસર પડી શકે છે. વારંવાર વેક્સિનની શીશી ખોલવાથી અને બંધ કરવાથી વેક્સિનને જરુરી ટેમ્પરેચર મળી શકતુ નથી અને રસીની ક્ષમતા પર અસર પડવાની શક્યતા રહે છે.

સરકારે ડોર-ટુ-ડોર વેક્સિનેશન ન કરવા પાછળ ચોથુ કારણ જણાવ્યું કે ગાઈડલાઈન પ્રમાણે એક વખત વેક્સિનની વાઈલ એટલે કે શીશી ખોલવામાં આવે તે પછી ચાર કલાક સુધીમાં તેમાં રહેલી રસી વાપરી નાંખવી પડતી હોય છે. આમ ચાર કલાકમાં એક વાઈલમાં રસીનો જેટલો જથ્થો હોય તે વપરાય નહીં તો તે વેક્સિન કામ નથી લાગતી. આમ વેક્સિન ડોઝ વેડફાવાના ચાન્સ વધી જાય છે.

છેલ્લે સૌથી મોટુ કારણ જણાવ્યું કે વેક્સિનેશન ટીમ પર ઘરે ઘરે જઈને વેક્સિન લગાવવાના કારણે કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો વધી શકે છે.

બોમ્બે હાઈકોર્ટે પણ મુંબઈ કોર્પોરેશનને ગઈકાલે સવાલ પૂછ્યોહતો કે, શું 75 વર્ષથી વધુ વયના નાગરિકો, દિવ્યાંગો માટે ઘરે જઈને વેક્સીન કરી શકે છે?આ માટેની શક્યતાઓની ચકસાણી કરવામાં આવે. કોર્ટ આ માટે મંજૂરી આપવા તૈયાર ચે પછી ભલે કેન્દ્ર સરકારે આવી કોઈ જોગવાઈ ના કરી હોય.આ માટે કેન્દ્રની મંજૂરીની પણ જરુર નથી.

જોકે હાઈકોર્ટનુ સૂચન લોકપયોગી છે પણ કેન્દ્ર સરકારના મતે આ વાત એટલી સરળ નથી અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે આ વાતનો વિરોધ કર્યો હતો.આ માટે પાંચ કારણઓ કેન્દ્ર સરકારે આપ્યા હતા.