Site icon Revoi.in

યોગમાં શ્વાસ લેવાની ઘણી કસરતોનો સમાવેશ થાય છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે: પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ આસનો સિવાય યોગમાં શ્વાસ લેવાની કેટલીક કસરતો પણ સામેલ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાનએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં યોગા વ્યાયામ વિશેની વિગતો સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સમગ્ર વિશ્વમાં આગામી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મોદી સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં યોગ દિવસની ઉજવણીને લઈને આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળો સહિતના સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવા કરોડ કરતા વધારે લોકો ભાગ લેશે.

(PHOTO-FILE)