Site icon Revoi.in

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ 11,207 ફરિયાદો નોંધાઈ,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી જમીનો પર માથાભારે લોકો કબજો કરી લેતા હોવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે.જેમાં આ કાયદા અંતર્ગત રાજ્યમાં 11,207 ફરિયાદો નોંધવામાં આવી છે. જમીન પચાવી પાડવાના બનાવોમાં અમદાવાદ શહેર અને જિલ્લો મોખરે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે હજુ 510 પેન્ડિંગ છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ કાયદાને પડકારતી 200 જેટલી અરજીઓ થઈ છે, જે પૈકી સૌથી વધુ અરજી અમદાવાદ જિલ્લામાંથી કરવામાં આવી છે.

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ એટલે કે અધિકૃત રીતે જમીન પચાવી પાડવાના કાયદા સંદર્ભે વર્ષ 2020માં કાયદો લાગુ કર્યા બાદ અત્યાર સુધી કુલ રાજ્યભરમાં 11207 જેટલી ફરિયાદ થઈ છે. આ ફરિયાદોની કમિટી દ્વારા તપાસ કર્યા બાદ સ્પેશ્યલ કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. જોકે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાથી નારાજ અરજદાર હાઇકોર્ટમાં પણ તેને પડકારી શકે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે હજુ 510 પેન્ડિંગ છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ કાયદાને પડકારતી 200 જેટલી અરજીઓ થઈ છે, જે પૈકી સૌથી વધુ અરજી અમદાવાદ જિલ્લામાંથી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી થયા બાદ કેટલાક જિલ્લાઓમાં તેના સારા પરિણામ જોવા મળ્યા છે, તો બીજી તરફ લેન્ડ ગ્રેબિંગ એક્ટને પડકારતી અરજીઓ પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ કાયદાને પડકારથી 200 જેટલી અરજીઓ કરવામાં આવી છે. જેની પાછલા બે મહિનાથી મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી અરજીમાં અરજદાર સામે થયેલી ફરિયાદ પર સ્ટે આપવામાં આવ્યો છે. આ મામલે મોટી સંખ્યામાં ફરિયાદ હોવાથી દૈનિક ધોરણે કોર્ટમાં બપોરના સેશન બાદ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

કેટલાક કાયદાવિદોનું માનવું છે કે, લેન્ડ ગ્રેબિંગના આ કાયદામાં જૂના વ્યવહારો અને ખાનગી જમીનને લગતી બાબતો આવરી લેવામાં આવી છે, જેના લીધે ઘણા બધા નિર્દોષ લોકોને પણ આ કાયદાનો ભોગ બનવું પડ્યું છે, અને ખોટી રીતે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે તેને પકડારવામાં આવ્યો છે. જોકે આ કાયદો સરકારી જમીન માટે ખૂબ અસરગ્રસ્ત રહ્યો છે. ભૂમાફિયા જે સરકારી જમીન પચાવીને બેઠા હતા, તેમને વિરુદ્ધ કાર્યવાહીમાં કાયદો મહત્વપૂર્ણ સાબિત થયો છે. સાથે સાથે ખાનગી જમીન, જમીનના વિવાદ બે વ્યક્તિ વચ્ચે લાંબા સમયથી ચાલતા હોય, તેવા કિસ્સામાં આ જોગવાઈનો અમલ કરાવી ખાનગી વ્યવહારોને સેટલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેનાથી અમુક નિર્દોષ વ્યક્તિઓને પણ અસર થઈ રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, લેન્ડ ગ્રેડિંગ મામલે અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી 1068 અરજી આવી છે, જે પૈકી 558 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 510 કેસ હજુ પેન્ડિંગ છે. મોટી વાત એ છે કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ આ મામલે સૌથી વધારે અરજી અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લામાંથી છે. જે અનુક્રમે 47, 32 અને 29 થાય છે. જ્યારે તાપી, નવસારી પાટણ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલ અરજીઓની સંખ્યા ઓછી સંખ્યામાં છે. (file photo)