Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 11974 કેસ નોંધાયા, અમદાવાદમાં 3990 કેસ, રાજ્યમાં 33 નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શનિવારે ઘટાડો નોંધાયો હતો.   આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 11974   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3990 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 33 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, અને જિલ્લો-1, સુરત શહેર -2 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં-2, ભાવનગર શહેર- 4, અને જિલ્લામાં-1,  તેમજ વલસાડ-2, આણંદ-2, ખેડા-1, જામનગર-1,  બોટાદ-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,13,681  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,75,98,722 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 90.53 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ મૃત્યુનો દર વધ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 12131  કેસ નોંધાયા હતા. આજે શનિવારે 11974  કેસ નોંધાતા 157  કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે શુક્રવારે 4046 કેસ નોંધાયા હતા. જ્યારે આજે શનિવારે 3990  કેસ નોંધાતા 56 કેસનો ઘટાડો થયો છે.  રાજ્યમાં આજે 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 98021 છે. જેમાં વેન્ટીલેટર પર 285 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 97736 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 11974  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3990 કેસ, સુરત શહેરમાં 511 કેસ, વડોદરા શહેરમાં 1816  કેસ, આણંદમાં 151  કેસ, કચ્છમાં 263 કેસ, રાજકોટ શહેરમાં 716 કેસ, ખેડામાં140, કેસ  ભરૂચમાં 207  કેસ, અમદાવાદ જિલ્લામાં 76  કેસ, ગાંધીનગર શહેરમાં 326  કેસ, અને જિલ્લામાં 161, રાજકોટ જિલ્લામાં 266 કેસ, ભાવનગર શહેરમાં 203 કેસ અને જિલ્લામાં 27 કેસ, જામનગર શહેરમાં 214 કેસ, તેમજ સાબરકાંઠામાં 121 અને બનાસકાંઠામાં 191 કેસ, પાટણમાં 280, અને સુરેન્દ્રનગરમાં 91 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  33નાં મોત નિપજ્યા હતા.