Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 5677 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2521 કેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 5677  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા લોકો સામે દંડનીય   કાર્યવાહી કરવા પોલીસને સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાની રફતાર આજે થોડી ધીમી પડી હતી. પરંતુ  ઓમિક્રોનના 32 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 12 કેસ, વડોદરા અને આણંદમાં 5-5 કેસ, મહેસાણામાં 3 કેસ, ભરૂચમાં 2 કેસ, થતા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં એક-એક કેસ નોંધાયા હતા. જ્યારે આજે અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા સાત દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે શનિવારે રાજ્યમાં 5677  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2521   નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના આજે 5677  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2521   કેસ, સુરત શહેરમાં 1578 કેસ, વડોદરા શહેરમાં 271 કેસ, આણંદમાં 87 કેસ, કચ્છમાં 63 કેસ, રાજકોટ શહેરમાં 166  કેસ, ખેડામાં 64, કેસ  ભરૂચમાં 41 કેસ, અમદાવાદ જિલ્લામાં 46 કેસ, ગાંધીનગર શહેરમાં 51 કેસ, અને જિલ્લામાં 30, રાજકોટ જિલ્લામાં 91 કેસ, ભાવનગર શહેરમાં 62 કેસ અને જિલ્લામાં 13 કેસ, જામનગર શહેરમાં 53 કેસ, તેમજ સાબરકાંઠામાં 8, અને બનાસકાંઠામાં 14 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે કોઈનું મૃત્યુ થયુ નથી. આજે બોટાદ,અને નર્મદા જિલ્લામાં કોરોનાનો  એકપણ કેસ નોંધાયો નહતો.