Site icon Revoi.in

અમદાવાદ અને સુરતમાં 300-300 બેડની હોસ્પિટલ બનાવાશે

Social Share

અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ બંને હોસ્પિટો 300-300 બેટની બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદની જાણીતી યુએન મહેતા હાર્ટ અને કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો વસાવવા માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કામદાવ રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા માટે રૂ. 221 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં એમ્બ્યુલન્સની સુવિધાને સુદ્રઢ કરવા માટે 108 સેવામાં નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.

(PHOTO-FILE)