Site icon Revoi.in

નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા

Social Share

10 ઓગસ્ટ,દિલ્હી:નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે.નુપુર લાંબા સમયથી માંગ કરી રહી હતી કે તેની સામે નોંધાયેલી ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે, હવે કોર્ટે પણ તે જ દિશામાં પોતાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું,જેમાં તેણીની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે તેના આદેશ દ્વારા નૂપુર વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR દિલ્હી પોલીસને સોંપી દીધી છે.દિલ્હી પોલીસ હવે આ મામલાની તપાસ કરશે.

કોર્ટે પોતાના આદેશમાં સ્વીકાર્યું છે કે નુપુર શર્માના જીવને ખતરો છે, આવા મામલા સામે આવ્યા છે જે તેની પુષ્ટિ કરે છે. આ કારણોસર તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસ સારી રીતે પ્રશિક્ષિત છે અને એક સાથે તમામ એફઆઈઆરની તપાસ કરી શકે છે.