Site icon Revoi.in

અમદાવાદઃ જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસે શરૂ કરી તૈયારીઓ

Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાની મોટાભાઈ અને બહેન સાથે નગરચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દરમિયાન આજે પોલીસે રથયાત્રાના રૂટ ઉપર પેટ્રોલીંગ કર્યું હતું. તેમજ રથયાત્રાના રૂટ ઉપર આવતા અતિઅશાંત વિસ્તાર દરિયાપુરમાં પોલીસ તથા એસઆરપીના 200 જવાનોએ દરિયાપુર પોલીસ સ્ટેશનથી ડાબગર વાડ, વાડી ગામ સુધી પગપાળા પેટ્રોલીંગ તેમજ ફલેગમાર્ચ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે અષાઢીબીજના દિવસે નગર ચર્ચાએ નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર છેલ્લા ચારેક દિવસોથી પોલીસના જવાનો અલગઅલગ વિસ્રતારોમાં પેટ્રોલીંગ કરી રહ્યા છે.પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે રથયાત્રાની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીએ અને પોલીસ નીરીક્ષકો સામે એક વીડીયો કોન્ફરન્સ પણ કરી હતી.
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ જયે જણાવેલ છેકે, રથયાત્રા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથીઓ, ટ્રકો, અખાડાઓ, બેન્કવાળા માટે પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું છે. આ અગાઉ ભગવાન જગન્નાથની 144મી રથાયાત્રા માટે રાજય સરકાર અને મંદીરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ ગઇ છે.
હાલ રાજય સરકારે કોરોનાની પરિસ્થિતીની સમીક્ષાકરવાની વાત દર્શાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે,કોરોનાની ત્રીજી લહેરના અણસાર છે. તેના માટે આપણે વધુ સાવચેતી રાખવાની છે. રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે ગયા વર્ષે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે મર્યાદીત ભક્તોની ઉપસ્થિતિમાં રથયાત્રા યોજવાની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે, મહામારીને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી ન હતી.