Site icon Revoi.in

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

Social Share

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે સંબંધિત ફાઇલ દિલ્હીના મુખ્યમંત્રીને મંજૂરી માટે મોકલી હતી. મુખ્યમંત્રીની મંજૂરી બાદ તેને ઉપરાજ્યપાલ પાસે મોકલવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે ગુરુવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી, દિલ્હી સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, સંમેલનને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી પોલીસ જિલ્લાના તમામ વ્યવસાયિક મથકો 8 થી 10 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 18 ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર મધુપ તિવારીએ મુખ્ય સચિવને પત્ર લખીને સૂચવ્યું હતું કે સરકાર જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન જાહેર રજા જાહેર કરે અને નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત મોટાભાગના વ્યાપારી મથકોને બંધ કરવાના નિર્દેશો જારી કરે.

જો કે આ સમયગાળા દરમિયાન મેટ્રો સેવાઓ ચાલુ રહેશે. ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર એસ.એસ. યાદવે લોકોને અપીલ કરી છે કે, જો તેઓ જી-20 સમિટ દરમિયાન મુસાફરી કરવા માટે રોડને બદલે મેટ્રોમાં મુસાફરી કરશે તો કોઇ મુશ્કેલી નહીં આવે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ જેવા સ્થળોએ જવા માટે પણ મેટ્રોનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

જો કે સુરક્ષા વ્યવસ્થાના કારણે સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરિએટ જેવા કેટલાક મેટ્રો સ્ટેશન 8થી 10 સપ્ટેમ્બર વચ્ચે બંધ થઇ શકે છે. પરંતુ અન્ય તમામ મેટ્રો સ્ટેશનો ખુલ્લા રહેશે અને મેટ્રો બધી લાઇનો પર ચાલશે.

Exit mobile version