અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાત આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યાં હતા.
દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ અનેક લોકહિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમિત શાહ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ-કાર્યકરો સાથે બેઠક કરે તેવી શકયતા છે.