Site icon Revoi.in

બાંગ્લાદેશે તેના પાસપોર્ટ પરથી “ઈઝરાયલ છોડીને” લખેલુ હટાવશે, ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કર્યુ તેનું સ્વાગત

Social Share

કોલકત્તા: બાંગ્લાદેશની શેખ હસીના સરકાર દ્વારા બાંગ્લાદેશના પાસપોર્ટને લઈને મોટો ફેરબદલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે ફેરબદલ છે કે પહેલા બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- “ઈઝરાયલને છોડીને”, હવે આ વાક્યને બાંગ્લાદેશ સરકાર પોતાના પાસપોર્ટ પરથી દુર કરશે.

બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયે તેનું સ્વાગત કરીને રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવાની વકીલાત પણ કરી દીધી હતી.

જો કે આ બાબતે બાંગ્લાદેશની સરકારે પણ નિવેદન આપ્યુ હતુ અને કહ્યું કે બાંગ્લાદેશની નીતિ ઈઝરાયલને લઈને બદલવામાં આવી નથી, અને તેના વલણમાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશ હજું પણ ઈઝરાયલને માન્યતા નથી આપતું અને યાત્રા પ્રતિબંધ લાગુ રહેશે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉક્ટર એકે અબ્દુલ મોમેને રવિવારે ઢાકા ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તેમણે પાસપોર્ટ પરથી તે વાક્ય દૂર કરવાનો નિર્ણય 6 મહિના પહેલા જ લઈ લીધો હતો જ્યારે તેમણે ઈ-પાસપોર્ટ લોન્ચ કર્યો હતો.

ડૉ. મોમેનના કહેવા પ્રમાણે આ તેમના પાસપોર્ટના સ્ટાન્ડર્ડાઈઝેશન માટે હતું. ઈઝરાયલને લઈ તેમની વિદેશ નીતિ પહેલા જેવી જ રહેશે. તેઓ ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપિત કરવા નથી જઈ રહ્યા. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પેલેસ્ટાઈનના લોકોના સંઘર્ષનું સમર્થન કરે છે અને ટુ સ્ટેટ સોલ્યુશનનું પણ સમર્થન કરે છે. પરંતુ વિદેશ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય.

જાણકારી માટે જો વાત કરીએ તો બાંગ્લાદેશના પાસપોર્ટ પર પહેલા એક લાઈન લખી હતી જેમાં લખ્યું હતુ કે આ પાસપોર્ટ ઈઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય રહેશે.