1. Home
  2. Tag "Israel"

શનિવાર સુધીમાં બંધકો પાછા નહિ આવે તો ગાઝા યુદ્ધવિરામ સમાપ્ત થશે : ઇઝરાયલ

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે. એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. […]

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું ગોલ્ડન પેજર

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘ગોલ્ડન પેજર’ ભેટમાં આપ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું […]

ઈઝરાયેલે મુક્ત કરેલા પેલેસ્ટિનિયન કેદીઓ રામલ્લાહ પહોંચ્યા

ઈઝરાયેલે મુક્ત કરેલા પેલેસ્ટિનિયન કેદીઓના પરિવારજનો ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા, જ્યારે તેમના પ્રિયજનો સાથે પુનઃમિલન થયું ત્યારે ચોધાર આસુએ રડી પડ્યા. મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે એકઠા થયા હતા, નારા લગાવ્યા હતા અને ઉજવણીમાં ધ્વજ લહેરાવતા હતા. ઈઝરાયેલે ગાઝા યુદ્ધવિરામ અને હમાસ સાથે કેદી-બંધક વિનિમય કરારના ભાગરૂપે ગુરુવારે અગાઉ 110 પેલેસ્ટિનિયન અટકાયતીઓની મુક્તિ પૂર્ણ […]

ઈઝરાયલના PM નેતન્યાહુ અમેરિકા જશે, ગાઝા સહિતના મુદ્દા ઉપર થશે ચર્ચા

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેશે. નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને “4 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં મીટિંગ” માટે આમંત્રણ આપ્યું હતું. ઈઝરાયેલની સરકારી માલિકીની ‘કાન’ ટીવી […]

ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલે સોમવારે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ઇઝરાયલી અધિકારીઓએ પેલેસ્ટિનિયન કેદીઓને તેમની મુક્તિની તૈયારીમાં પશ્ચિમ કાંઠાની ઓફેર જેલમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું છે. રેડ ક્રોસ ત્રણ ઇઝરાયલી બંધકોની સલામત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હમાસ સાથે મુલાકાત કરી રહ્યું છે, ત્યારે આ પ્રક્રિયા […]

ઈઝરાયેલ-હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે પુષ્ટિ કરી કે કતારમાં ઈઝરાયેલ અને હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ છે. ઈઝરાયેલના મીડિયાએ આ જાણકારી આપી છે. બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદનને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે […]

ઈઝરાયેલે તે જગ્યા પર હવાઈ હુમલો કર્યો જ્યાં બંધકોને રાખવામાં આવ્યા હતા: હમાસ

હમાસની લશ્કરી પાંખ, અલ-કાસમ બ્રિગેડસે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી દળોએ ગાઝા પટ્ટીમાં એક સ્થળ પર બોમ્બમારો કર્યો હતો જ્યાં એક ઇઝરાયેલી અટકાયતી રાખવામાં આવ્યો હતો, જેને આગામી કેદીઓની વિનિમયના પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનાર હતો. અલ-કાસમના પ્રવક્તા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે સોદાની જાહેરાત થયા પછી તરત જ, ઇઝરાયલી દળોએ વિનિમય સોદાના પ્રારંભિક તબક્કામાં […]

ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો

મહિનાઓનાં તીવ્ર રાજદ્વારી પ્રયાસો પછી ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ અને બંધકો મુક્તિ કરાર પર પહોંચ્યા છે. અમેરિકા, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી હેઠળ થયેલા આ કરારથી ગાઝામાં ચાલી રહેલી હિંસા બંધ થશે, પેલેસ્ટિનિયન નાગરિકોને મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવશે અને 15 મહિનાથી વધુ સમયથી બંધક બનાવી રાખવામાં આવેલા બંધકોને મુક્ત કરવામાં આવશે. યુએસ પ્રમુખ જો […]

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 71 લોકોના થયા મૃત્યુ

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એન્ક્લેવના પોલીસ ફોર્સના વડા અને તેમના નાયબનો પણ સમાવેશ થાય છે.  ગાઝાની સરકારી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે,  ઇઝરાયલી દળોએ ગુરુવારે 30થી વધુ હુમલાઓ કર્યા. આમાં અલ-મવાસીના કહેવાતા માનવતાવાદી વિસ્તાર અને ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિર પરના હુમલાનો સમાવેશ થાય છે. […]

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામના કરારનું ઉલ્લંઘન, 45 લોકોના મોત

27 નવેમ્બર અને 22 ડિસેમ્બર વચ્ચે ઇઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનને કારણે ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલની સેનાએ સરહદી શહેરોમાંથી 17 લોકોની ધરપકડ પણ કરી છે. 27 નવેમ્બર અને 22 ડિસેમ્બર વચ્ચે ઇઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનને કારણે ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલની સેનાએ સરહદી શહેરોમાંથી 17 લોકોની ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code