Site icon Revoi.in

લાલુ પ્રસાદ યાદવના ઘરે CBIના દરોડા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પુત્રી સામે નવો કેસ નોંધાયો

Social Share

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે.

હકીકતમાં, સીબીઆઈએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા.જામીન બાદ તેણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.