Site icon Revoi.in

CBSE એ ધો-10 અને 12નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, જાણો શું કરાયો ફેરફાર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે ધો-10 અને 12ના વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમની જાહેરાત કરી છે. જે તા. 1લી એપ્રિલથી લાગુ થશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા પડકારો સામે તૈયાર કરવાની સાથે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. સીબીએસઈએ તમામ સ્કૂલોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ નવા અભ્યાસક્રમને પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શેર કરે. વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકે છે.

CBSE એ 2024-25 માટે ધોરણ 10 અને 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. આ નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં નવી દિશા આપશે અને તેમને વધુ સારી રીતે તૈયાર કરવામાં મદદ કરશે. તેમાં ઉમેરવામાં આવેલા નવા વિષયો અને સામગ્રી વિદ્યાર્થીઓને નવી કુશળતા શીખવાની તક આપશે. અભ્યાસક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે – એક માધ્યમિક અભ્યાસક્રમ (વર્ગ 9 અને 10 માટે) અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસક્રમ (વર્ગ 11 અને 12 માટે). ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાંચ ફરજિયાત વિષયો અને બે વૈકલ્પિક વિષયોનો વિકલ્પ આપવામાં આવ્યો છે જ્યારે, ધોરણ 12 ના અભ્યાસક્રમમાં સાત મુખ્ય શિક્ષણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે: ભાષાઓ, માનવતા, ગણિત, વિજ્ઞાન, કૌશલ્ય વિષયો, સામાન્ય અભ્યાસ અને આરોગ્ય અને શારીરિક શિક્ષણ.

CBSE એ જણાવ્યું હતું કે, તે દર વર્ષે ધોરણ 9 થી 12 સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપે છે. જેમાં અભ્યાસ કરવાની બાબતો, કેવી રીતે ભણાવવી, પરીક્ષાનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કેવી રીતે કરવું, બધું જ સમજાવવામાં આવે છે. શાળાઓએ આ અભ્યાસક્રમનું બરાબર પાલન કરવું જોઈએ.

(PHOTO-FILE)

Exit mobile version