Site icon Revoi.in

ચૈત્રનવરાત્રિઃ કન્યા પુજામાં કેટલી કન્યાઓને બેસાડવી જોઈએ, જાણો

Social Share

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની પૂજા કન્યા પૂજા વિના અધૂરી રહે છે. નવરાત્રિમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો.

કન્યા પૂજામાં 9 કન્યાઓને બેસાડવી શુભ માનવામાં આવે છે. 9 કન્યાઓને 9 દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે કન્યા પૂજામાં 9 કન્યા હોવી જરૂરી છે.

જો તમે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજા કરો છો તો નવ કન્યાઓની પૂજા કરવાથી માતાના આશીર્વાદ મળે છે.

કન્યા પૂજા માટે 9 છોકરીઓ હોવી જરૂરી નથી, જો તમને 9 છોકરીઓ મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય તો પૂજા 5 કે 7 છોકરીઓ સાથે પણ કરી શકાય છે.

કન્યા પૂજા દરમિયાન છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કન્યા પૂજામાં સૌ પ્રથમ તમામ કન્યાઓને વસ્ત્રો આપો. તેમને સ્વચ્છ જગ્યા ઉપર બેસાડો, કન્યાઓના પગ ધોઈ લો અને તેમના પગને લાલ કરો.

આ પછી તેમને ભોજન કરાવો, તેમને દક્ષિણા અથવા ભેટ આપો. માતાને ભોજન અર્પણ કરો અને પછી કન્યાઓને ખવડાવો.
છોકરીઓની સાથે એક કે બે છોકરાઓને બેસાડવાનો નિયમ છે. જેમાં એક બાળકને ભૈરવ અને બે બાળકોને ગણપતિ કહેવામાં આવ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાળુઓ નવરાત્રિના ઉપવાસ કરે છે અને અંતિમ દિવસે તેની ઉજવણી કરીને વ્રત પૂર્ણ કરે છે.