Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના: આજથી નવી ગાઈડલાઈન્સ મુજબ આ પ્રકારે રહેશે છૂટછાટ

Social Share

ગાંધીનગર: રાજ્યમાં 8 મનપા સહિત 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યું યથાવત, રેસ્ટોરન્ટસ હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખી શકશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યું આઠ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું અમલમાં છે.મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર, નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે 10 થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુંનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કર્ફ્યુંની હાલની જે સમયાવધિ તા.ર૯-૧-ર૦રરના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે, તે લંબાવીને તા ૪થી ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ ૨૯મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યુંનો અમલ તા.4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છેઆ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે.આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે.