Site icon Revoi.in

કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય

Social Share

દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, જ્યારે એક ડોઝ લેનારાઓને બીજો ડોઝ આપવાનો છે. અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને કોરોનાની રસી લગાવશે.

રસીકરણ ઝુંબેશના મહિનાઓ છતાં, એક પણ વિપક્ષ શાસિત રાજ્ય 90 ટકા વસ્તીને પણ રસીનો પ્રથમ ડોઝ પૂરો પાડી શકી નથી. આ રાજ્યોમાં રસીની બીજી માત્રા 50 ટકાથી ઓછી છે. તેનાથી વિપરીત, ભાજપ શાસિત બે રાજ્યોએ પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે, જ્યારે અન્ય રાજ્યો લક્ષ્યની ખૂબ નજીક છે. તમામ ભાજપ શાસિત રાજ્યો રસીના બીજા ડોઝમાં પણ કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ઘણા આગળ છે.

રાજ્ય                       પ્રથમ ડોઝ            બીજો ડોઝ

હિમાચલ પ્રદેશ           100 ટકા                 91.9 ટકા

ગોવા                          100 ટકા                 87.9 ટકા

ગુજરાત                      93.5 ટકા                70.3 ટકા

ઉત્તરાખંડ                   93 ટકા                  61.7 ટકા

મધ્યપ્રદેશ                  92.8 ટકા                62.9 ટકા

કર્ણાટક                     90.0 ટકા                59.1 ટકા

હરિયાણા                  90.04 ટકા              48.3 ટકા

અસમ                       80 ટકા                    50 ટકા

ત્રિપુરા                       80.5 ટકા                63.5 ટકા

રાજ્ય                     પ્રથમ ડોઝ            બીજો ડોઝ

ઝારખંડ                    66.2 ટકા                30.8 ટકા

પંજાબ                      72.5 ટકા                32.8 ટકા

તમિલનાડુ                78.1 ટકા                42.65 ટકા

મહારાષ્ટ્ર                   80.11 ટકા              42.5 ટકા

છત્તીસગઢ                83.2 ટકા                47.2 ટકા

રાજસ્થાન                84.2 ટકા                46.9 ટકા

પશ્ચિમ બંગાળ         86.6 ટકા                39.4 ટકા

ભારતમાં કોરોનાવાયરસ રોગચાળાની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો દેશમાં કોરોનાના 6,990 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે મે મહિનામાં એટલે કે દોઢ વર્ષ પછી એક દિવસમાં કોરોના કેસનો આ સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ ચેપને કારણે વધુ 190 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,45,87,822 પર પહોંચી ગઈ છે.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંભવિત જોખમને લઈને ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારના અધિકારીઓને રાજ્યો સાથે મળીને કામ કરવા સૂચના આપવામાં આવી છે.