1. Home
  2. Tag "decision"

અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો

મેક્સિકો બાદ હવે અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે રોકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર દવાઓને કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લીધા બાદ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં, તેલ પરના ટેક્સને લઈ કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો પર વધારાની ટેરિફ લાદશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ચીન વિરુદ્ધ સમાન વલણ પર વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફને આધીન વસ્તુઓની યાદીમાં […]

ચીન ઉપર 10 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ […]

CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકોને અદ્યતન માર્ગો આપવાનો કર્યો નિર્ણય

નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી એ આ નિર્ણય કર્યો અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે ગાંધીનગરઃ 16 આદિજાતિ ગામોની 23 હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણનો લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાનો એક ભાગ છે. ભારત દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની […]

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ માટે જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશુંઃ એકનાથ શિંદે

મુંબઈઃ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે સરકાર બનાવવામાં મારી તરફથી કોઈ અવરોધ નથી. PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. તેમણે કહ્યું, “મેં ક્યારેય મારી જાતને CM નથી માન્યું. […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્ણય લેવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે બિઅંત સિંહના હત્યારાની દયા અરજી પર વિનંતી કરી

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવને સોમવારે (18 નવેમ્બર, 2024) નિર્દેશ આપ્યો હતો કે તેઓ 1995 માં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા પામેલા બળવંત સિંહ રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ વિચારણા માટે મૂકે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે રાષ્ટ્રપતિને અરજી પર બે અઠવાડિયામાં વિચાર […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! વસ્તી ગણતરી 2025 માં શરૂ થઈ શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી થશે. કોરોના રોગચાળાને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code